એક હતું વડોદરાનું ઐતિહાસીક ન્યાય મંદિર

  • 6k
  • 2
  • 1.6k

વડોદરા શહેરને દિર્ઘદ્રષ્ટા મહારાજ સયાજીરાવ (ત્રીજા) એ આપેલી અમૂલ્ય ભેટ પૈકીની એક એટલે ન્યાયમંદિર વડોદરાની ઐતિહાસીક ઇમારત પૈકીની એક અને દિર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા શહેરને આપવામાં આવેલી અદ્ભૂત ભેટ એટલે કે શહેરની મધ્યમાં આવેલા સુરસાગર નજીક બનેલું આપણું ન્યાય મંદિર. એમ તો ન્યાય મંદિર એક ઇંટ, રેતી, કપચી, સિમેન્ટથી બનેલી ઇમારત જ છે. પરંતુ તેની સાથે જોડાયેલ અનેક કિસ્સાઓ છે. ૧૨૨ વર્ષના જીવનકાળમાં તેને અનેક ઉતાર ચઢાવ જોયા છે તો અનેક ઘટનાઓનું ન્યાય મંદિર સાક્ષી પણ રહ્યું છે. આજે જ્યારે ન્યાય મંદિર ખાલી થઇ ગયું છે, કોઇ વકીલ, કોઇ અસીલ અને કોઇ જજ કે પછી કારકૂન હવે અહીં