સાંબ સાંબ સદા શિવ - 10 - છેલ્લો ભાગ

(22)
  • 2.6k
  • 2
  • 1.1k

પ્રકરણ 10 અને એમને એમ, સર, મહાશિવરાત્રી નજીક આવી. ગુરૂજીના પણ ગુરૂજીએ અમોને જૂનાગઢ નાગાબાવાઓ અને અઘોરીઓનાં વાર્ષિક મિલનમાં મોકલવાનું આયોજન કર્યું. અમને અમુક પસંદ કરેલા અઘોરીઓને શંકરાચાર્ય દ્વારકાપીઠ દ્વારા ખાસ કામ સોંપવામાં આવનારૂં હતું તેમ કહેવાયું. પાકિસ્તાનથી કચ્છ માર્ગે આતંકવાદીઓ સાધુ કે ફકીર તરીકે ઘૂસવાના હતા તેમને ઓળખીને અટકાવવાનું, લશ્કરને માહિતી આપવાનું અને જરૂર પડ્યે મુશ્કેલ વિસ્તારોમાં યુદ્ધ માટે મદદ કરવાનું આયોજન થતું હતું. . સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીની રાત્રે જ્યારે બધા નાગા સાધુઓ પવિત્ર કુંડમાં સ્નાન કરે છે, ત્યારે એક સાધુ ગુમ થઈ જાય છે. હકીકતમાં તેને બાહ્ય વિશ્વ સાથે સંકલન કરવાની ફરજો સોંપવામાં આવી