કાંચળી

(28)
  • 3.5k
  • 2
  • 804

કિશોરભાઈ છેલ્લા એક મહિનાથી બહુ દોડાદોડી કરતા હતા. સુધાબેન પણ વિચારતા હતા કે એમના પતિને અચાનક શું થ‌ઈ ગયું છે આ? આટલી દોડાદોડ શા માટે કરે છે એ? રાતોરાત કિશોરભાઈ એ વસીયત બનાવી.બંગલો સુધાબેન નાં નામે અને દુકાન બે દિકરાઓ નાં નામે. બધી જ બેંકોમાં એમનાં ખાતાં બંધ કરી દીધાં. માત્ર સુધાબેન નું ખાતું ₹ ૨૫/- લાખથી છલોછલ રાખ્યું. બંગલા અને દુકાન સિવાય તમામ મિલકતો વેચી દીધી. જીવનવીમા /પીપીએફ/ ફીક્સ ડિપોઝિટ પણ ઉપાડી લીધાં. બધાં જ સગાંવહાલાં ને એકવાર મળી આવ્યા. સપરિવાર ડાકોર દર્શન પણ કરી આવ્યા. અને એક રાત્રે કિશોરભાઈ એ ગૃહત્યાગ કરી દીધો. બીજા દિવસે