અંતર પટ

  • 3.4k
  • 1
  • 1.1k

= અંતર પટ = “અંતરની એકાગ્રતા એ યોગ ની સમાપ્તિ નથી ત્યાંથી જ યોગનો અર્થ થાય છે.”“અંતરે મોક્ષે જવા માટે નું નાવ છે” મનુષ્ય નું અંતર બંધન અને મુક્તિનું કારણ છે. અંતર સંસારના ગુણોમાં આશકત હશે તો તે બંધનમાં જકડાશે, પરંતુ અંતર સાધના, યોગમાં તત્પર હશે તો મુક્તિ મળશે તે નવું નથી. એ વાતનો ખ્યાલ હોવો જરૂરી છે કે, પાણીના ભરાવાથી કાદવ ની ઉત્પત્તિ થાય છે, પરંતુ તે કાદવને દૂર કરવા માટે કોણ પાણીની જ જરૂરત રહે છે. અંતર એ પરમાત્માનું ચિંતન કરે તો મુક્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે સંસારનું જ ચિંતન થાય તો તેને બંધન પ્રાપ્ત થાય છે. ​પરમાત્માએ વિશ્વમાં અનેક પ્રકારની જીવ સૃષ્ટિને જન્મ આપેલ છે જેમાં દરેક જીવ ની મનની સાથે ઉત્પત્તિ થયેલ છે. માણસની દરેક પ્રવૃત્તિ