શ્રાપિત ખજાનો - 28

(52)
  • 6k
  • 3
  • 2.8k

ચેપ્ટર - 28 "વિક્રમ, તને યાદ છે આપણે બંનેએ લગ્ન કરીને સાથે જીંદગી ગુજારવાની કસમ લીધી હતી?" રેશ્માએ વિક્રમને પુછ્યું. "હાં યાદ છે.... પછી મે સંબલગઢની ખોજ કરવાની ના પાડતાં તું મને છોડીને ચાલી ગયેલી.." વિક્રમે કટાક્ષમાં કહ્યું. "હું જવા નહોતી માંગતી વિક્રમ, પણ મારી પાસે બીજો કોઇ રસ્તો ન હતો. મે જે અપરાધ કર્યો છે એ જો તું જાણી જાય તો તું મને ક્યારેય માફ ન કરે. હું હજુ સુધી પોતાને જ માફ નથી કરી શકી. તો તારી પાસેથી તો હું આશા જ ન રાખી શકું." "રેશ્મા," વિક્રમે કહ્યું, "વાતને ગોળ ગોળ ફેરવ્યા વગર સીધા