આગે ભી જાને ના તુ - 18

  • 3.1k
  • 943

પ્રકરણ - ૧૮/અઢાર ગતાંકમાં વાંચ્યું....... આમિર અલી ઉર્ફે ખીમજી પટેલ અને તરાના વેજપરથી ભાગી જઇ એક નાનકડા ગામની ધર્મશાળામાં આશરો લે છે જ્યાં કમરપટ્ટો ન મળવાના આઘાતથી તરાના મૃત્યુ પામે છે. વલ્લભરાય પણ ઉદયસિંહના ડરથી વેજપર છોડી વડોદરા પહોંચી જાય છે સાથે લાજુબાઈ અને જમનાને પણ લઈ જાય છે. આમિર અલી કાયમી સ્વરૂપે ખીમજી પટેલનું રૂપ લઈ રાજપરાનો નિવાસી બને છે..... હવે આગળ...... ખીમજી પટેલને રાજપરામાં રહેતા લગભગ એક દાયકો વીતી ગયો. આ એક દાયકામાં ખીમજી પટેલ બે ખેતર અને એક ડેલીબંધ મકાનના માલિક બની ગયા હતા પણ એમના દિલમાં વલ્લભરાય અને લાજુબાઈ સામે બદલો લેવાની ભાવના ઓછી થવાને બદલે