ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 19

  • 2k
  • 1.5k

ભાગ 19 અમદાવાદ, ગુજરાત માધવ અને નાયકને લઈને વિલાડ જેવો દરિયાઈ રસ્તે તાઈવાન પહોંચ્યો એવો જ એને રાજવીર શેખાવતને કોલ લગાવી આ ખુશખબર આપી દીધી. આ સાથે અર્જુન અને નાયકે લોન્ગ અને લીનો પણ ખાત્મો કર્યો હોવાનું પણ જ્યારે શેખાવતે જાણ્યું ત્યારે મનોમન તેઓ ઉચ્ચારી ઉઠ્યા. "શાબાશ..!" અર્જુન અને નાયકની થોડી પ્રાથમિક સારવાર કરી એ બંનેને તુરંત ભારત આવતી પહેલી ફ્લાઈટમાં રવાના કરવાનું જણાવી વિલાડે જ્યારે શેખાવત સાથેનો સંપર્ક વિચ્છેદ કર્યો ત્યારે શેખાવતને માથેથી ઘણો ખરો ભાર હળવો થઈ ગયો. બે પોલીસકર્મીઓ, જેમના જોડે આ પહેલા આટલા મોટા કોઈ મિશનમાં જવાનો અનુભવ નહોતો; એમને ચીનમાં જઈને દુનિયાના સૌથી મોટા ડ્રગ