આરોહ અવરોહ - 30

(123)
  • 6.3k
  • 3
  • 3.6k

પ્રકરણ - ૩૦ શકીરાની રાત તો પહેલેથી જ બગડી હતી અને હવે સવારથી અત્યારે બપોર સુધી બરાબર અકળાઈ ચૂકી છે કારણ કે હજું સુધી એને આધ્યા કે સોના કોઈનો કંઈ જ પત્તો મળ્યો નથી.‌ એક નહીં પણ ચાર ચાર જણાનું આ રીતે ગાયબ થવું? વળી, આધ્યા અને સોના એ લોકો સાથે જ છે કે એ પણ કંઈ ખબર જ નથી. સવારથી એનું મગજ કંઈ કામ નથી આપી રહ્યું. એનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. એ અત્યાર સુધી કેટલાંય ફોન કરી કરી ચૂકી છે. પણ ક્યાંકથી કોઈ પત્તો નથી મળી રહ્યો. ત્યાં જ એણે ફરી એક ફોન લગાડીને કહ્યું, " મુજે અભી