વણનોંધાયેલ ગુન્હો ભાગ-૪

  • 2.7k
  • 3
  • 1k

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૪ ઇશ્વરપ્રસાદના આ કુલ નવ સંતાનો પૈકી મોટી દિકરી તેના જન્મનાં પાંચેક વર્ષમાં જ ગંભીર બિમારીને કારણે મૃત્યુ પામેલી. અને બાકીની ત્રણ દિકરીઓના વિવાહ તેમના સમાજના ઉચ્ચ હોદ્દાની વ્યક્તિઓ સાથે વાજતે-ગાજતે સમાજના રીતિરિવાજો મુજબ કરાવી દીધેલા. અને પાંચ દિકરાઓનાં પણ લગ્ન સમાજના પ્રતિષ્ઠીત અને સધ્ધર કુંટુંબોની દિકરીઓ સાથે કરાવેલા. આમ, ઇશ્વરપ્રસાદે પોતાના સંતાનોનું ઉજ્જવળ ભવિષ્ય તેમની હયાતીમાં જ ગોઠવી આપેલું. દરેક સંતાનોને સારી અને ઉચ્ચ શિક્ષણ આપેલ હોઇ. તેઓ પોતાના ધંધા-વ્યવસાયમાં સેટ થઇ ગયેલા. તે પૈકી તેમના એક દિકરા નામે જીવણભાઇ પોતે જાતે વ્યવસાયે વકિલ થયાં. જીવણભાઇનો જન્મ ૧૯૨૨ ના અરસામાં થયેલો. તેઓ જન્મથી જ ખુબ જ હોશિયાર