હિયાન - ૧૯

(14)
  • 2.2k
  • 1.1k

હિયાનો પત્ર વાંચીને ઘરમાં બધાને શાંતિ થઈ જાય છે. બધાને એક વાતની રાહત થાય છે કે એ જ્યાં હશે ત્યાં સુરક્ષિત હશે. બધા પોત પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. પણ હા હિયાને રોજ યાદ કરતા જ હોય છે. હવે તો આયાન અને માલવિકા ને પણ તેમણે સંપૂર્ણપણે માફ કરી દીધા હોય છે. "કેવું કહેવાય નહિ. એ છોકરી આપણો પરિવાર ભેગો કરીને પોતે એકલી રહી ગઈ. એને ખબર હતી કે એની હાજરીમાં આપણે આયાન અને માલવિકા ને સ્વીકારી શકીશું નહિ એટલે એ પોતે જતી રહી." સુનિલભાઈ નાસ્તાના ટેબલ પર બેઠા બેઠા વાતો કરતા હોય છે."હા, એનું દિલ ખરેખર સોનાનું છે.