અનાથાશ્રમ - ભાગ 4

  • 3.8k
  • 1
  • 1.7k

જ્યારે અનાથાશ્રમના મેનેજર સાહેબે એમ કહ્યું કે,"હું કંઈ માંગવા નહિ પરંતુ આપવા માટે આવેલ છું." તેમના આ શબ્દો સાંભળી રુચિકા તેમને આશ્ચર્યથી જોઈ રહી. એટલે મેનેજર સાહેબે કહ્યું,"અરે, વાત એવી છે કે અમારા આશ્રમમાં તેજસ્વી બાળકોનો સત્કાર સમારંંભ રાખવામાં આવેલ છે.તો સાથે સાથે જે લોકો એ અમારી સંસ્થાના વિકાસમાં યોગદાન આપેલ છે તે દરેક સભ્યોનું પણ સન્માન કરવાની અમારી ઈચ્છા છે." આશિષ વચ્ચે જ બોલ્યો,"હા, તો અમે શું કરી શકીએ તે માટે? અને જુઓ.વડીલ, મારા પપ્પા અહીં નથી તો....."