અનાથાશ્રમ - ભાગ 6 - છેલ્લો ભાગ

  • 3.1k
  • 1.5k

રુચિકાની વાત સાંભળી મેનેજર સાહેબ અને આશિષ તેને એકીટશે જોઈ રહ્યા. પછી શાંતિપૂર્વક તેને સમજાવતા કહ્યું," ત્યાં જ તારી ભૂલ થાય છે રુચિકા.... એવું કોઈ કારણ હતું જ નહીં કે જેના લીધે જગદીશ ભાઈ અને ગાયત્રી બેનને આશિષને - એક અનાથ બાળકને દત્તક લેવો પડે. પરંતુ હકીકતમાં તેઓ પોતાના બાળકને જન્મ આપવા માટે સક્ષમ જ હતા.પરંતુ તારા પતિને - આશિષને કંઈ ઓછું ન આવે કે તેનો પ્રેમ વહેંચાય ન જાય એટલા માટે જ પોતાના સંતાનને જન્મ આપવાનું માંડી વાળ્યું અને પોતાની સંપત્તિ તો ઠીક પણ પોતાની પુરી જિંદગી આશિષને નામે કરી દીધી...."