રુદયમંથન - 11

(16)
  • 2.5k
  • 2
  • 1.4k

ઋતા, કેસરીભાઈ અને મુનિમજી બધાય દેસાઈ પરિવારને એકલો મૂકીને રતનપુરાથી જતાં રહ્યાં, રાતવાસો બધાય એકલાં થઈ ગયા, એક તો વરસાદી વાતાવરણ એમાંય જંગલનો આદિવાસી વિસ્તાર બધાને ભય પમાડે એવો વિકરાળ હતો. ઉપરથી આવતી કાલના નવા નિયમો એમાં એની ભયાનકતા વધારતાં હતા, નિયમો દરવાજાની બહાર લગાવેલાં હતા, એ જોવા બધા દીવાનખંડમાંથી ઓસરી બાજુ આવ્યા, ઓસરીની બહાર બાજુ જે અંધકાર હતો એનાં કરતાં બોર્ડના પાટિયામાં અંધકાર વધારે વ્યાપી રહ્યો હતો, એના લખાયેલા નિયમો બધાનાં માટે કપરા હતાં, હજી વાંચ્યા નહોતા છતાંય નિયમો એના નામથી ભય પમાડતા હતા. બધા એક