રુદયમંથન - 26

(17)
  • 2.2k
  • 3
  • 1.2k

દ્વિજા કલા કેન્દ્રની કામગીરી હવે પક્કા પાયે ચાલુ થઈ ગઈ હતી, જોતજોતામાં દેસાઈ પરિવારની વિલ મુજબ રતનપુરા રહેવાની અવધિ પણ પૂરી થવા આવી હતી, છેલ્લા બે દિવસ બાકી રહ્યા હતા, આ બધું હવે એકલું પડી જશે એની બીક ઋતાને સતાવી રહી હતી, એના કરતાંય બધા જોડે રહેવાં ટેવાઈ ગયેલી એને એકલાં પડી જવાનો ભય વધારે હતો. કામગીરી તો ચાલુ જ રહેશે પરંતુ બધા જોડે રહીને કામ કરવાનો જે જોશ હતો એ કદાચ ઓછો થઈ જશે, અમદાવાદ ગયા પછી બધા પોતપોતાના કામે લાગી જશે, એમને રતનપુરા ફરી ભુલાઈ જશે, પરંતુ એમની