રુદયમંથન - 27

(14)
  • 2.2k
  • 3
  • 1.2k

ઋતાએ કોઈને કહી નહોતી એ હકીકત મહર્ષિને કહી, એ સાંભળતો રહ્યો, અત્યાર સુધી જેના વિશે એ જાણવા તલપાપડ હતો એને એની આખી જિંદગી ખુલી કિતાબના જેમ ઉઘાડી કરી દીધી, આમ તો ઋતા કોઈ દિવસ કોઈને એના દિલની વાત કહેતી નહિ, માત્ર બધાનાં ચહેરા વાંચી એમની વ્યથા દૂર કરવામાં વ્યસ્ત રહેતી અને એની પારાવાર વ્યથા કોઈને કહેતી નહિ.એના દિલમાં જે જખમો હતા એ પોતે એકલી ઝૂરતી રહેતી પણ કેમ જાણે આજે એણે બધું મહર્ષિને કેમ કહી રહી. એ મનોમન મહર્ષિ પર વિશ્વાસ કરવા માંડી, કદાચ એને ચાહવા પણ માંડી