ઠહેરાવ - 11 - છેલ્લો ભાગ

(18)
  • 1.9k
  • 1
  • 942

વીરા અને સાહિલ, વડોદરાથી સાહિલના માં, પપ્પા અને ગુરુજીને મળીને અમદાવાદ આવે છે અને સાહિલના ગુરુજી, સાહિલ અને વીરાના જીવનમાં ખુશી આવશે એવું કહેતાંની સાથે એમ પણ કહે છે કે, સાહિલનો જે ઉદેશ્યથી જન્મ થયો એ ઉદેશ્ય હવે પૂરો થાય છે. ડોક્ટર વીરાને પ્રેગેન્ટ જાહેર કરે છે. આખરે વીરાએ શું નિર્ણય લીધો એ જાણવા, ચાલો વાંચીયે ઠહેરાવ -11. (છેલ્લો ભાગ) કોઈક દ્રઢ નિર્ણય કરતી હોય એમ વીરા બોલી, 'ચાલ સાહિલ, મારી સાથે મહેતા હાઉસ ચાલ.' સાહિલ અને વીરા મહેતા હાઉસ ગયા. વીરાની ધારણા પ્રમાણે, સમય ત્યાંજ હતો. આખા દિવસમાં વીરા ક્યાં છે એ જાણવા સુધ્ધાંની દરકાર, સમયે કરી ન હતી.