વારસદાર - 31

(88)
  • 6.3k
  • 5
  • 5.1k

વારસદાર પ્રકરણ 31અંબાજીની ભૂમિ ચૈતન્ય ભૂમિ છે. અત્યાર સુધીમાં લાખો કરોડો લોકોએ પોતાની શ્રદ્ધા અંબાજીના ચરણોમાં અર્પણ કરી છે. મા અંબાને જીવંત માનીને લોકોએ પ્રાર્થના કરી છે અને બાધાઓ પણ રાખી છે. વર્ષોથી સતત શ્રદ્ધાનો અને વિશ્વાસનો વરસાદ વરસતો હોય એ મૂર્તિ ચૈતન્યમય બની જાય છે. જાગૃત બની જાય છે અને એટલે જ અત્યારે અંબાજીનું આટલું બધું મહત્વ છે !! મંથન અંદરથી એક આધ્યાત્મિક જીવ હતો. ગુરુજીની સતત એના ઉપર નજર હતી એટલે એ ભાગ્યશાળી જીવ પણ હતો. આવી ચૈતન્ય ભૂમિ ઉપર એને કોઈ દિવ્ય અનુભવ ના થાય એવું તો બને જ નહીં ! અંબાજીનાં દર્શન કરીને ગબ્બરનો ડુંગર મંથન