જીવનસંગિની - 19

  • 1.6k
  • 1
  • 944

પ્રકરણ-૧૯ (બેરંગ જીવન) નિધિના મૃત્યુ પછી મેહુલના ઘરમાં બધાં ખૂબ જ દુઃખી હતા. નાનકડા વીરને ધીમેધીમે સમજાઈ રહ્યું હતું કે, એની માતા હવે આ દુનિયામાં નથી રહી. નિધિના અંતિમ સંસ્કાર પછી એના મૃત્યુ પછીની બધી વિધિ કરવામાં આવી. એ બધી જ વિધિ પૂરી થતાં સુધીમાં વીરને ઘણી સમજ આવી ગઈ હતી. જ્યારે ઈશ્વર દુઃખ આપે છે ત્યારે સાથે સાથે એ દુઃખને સહન કરવાની શક્તિ પણ આપે છે. વીરને પણ કુદરતે નાની ઉંમરમાં જ ઘણી સમજ આપી દીધી હતી અને એ ખૂબ જ સમજદારી દાખવવા માંડ્યો હતો. એને હવે એ સમજ આવી ચૂકી હતી કે, એણે જ હવે ઘરના બધાંને સંભાળવાના