સુવર્ણમય દાંપત્ય નો છૂપો રહસ્ય

  • 2.7k
  • 948

સ્મિતા અને મનન નાં લગ્નનો આજે ચોથો વરસ ચાલતો હતો. બન્ને એકબીજા સાથે સુખી હતા, મનન સ્મિતાનો ખૂબ સારી રીતે ધ્યાન રાખતો હતો, એને કોઈ પન વાતની કમી મહેસૂસ થવા દેતો નહતો. પણ સ્મિતાના લગ્ન મનન સાથે એની મરજી વિરૂદ્ધ થયા હતા,એટલે મનન ક્યારે સ્મિતાના મનનો માણીગર બની શક્યો નહીં. લગન બાદ મનન સ્મિતાને લઈને મુંબઈ આવી ગયો હતો. ત્યાં બન્ને એકલા જ રહેતા હતા. મનન કામ માટે સવારે જલદી નીકળી જાય ને સાંજે મોડેથી ઘરે આવે. સ્મિતા પણ એ સમયમાં પોતે એકલી ક્યાંય ને ક્યાંય ફરવા નીકળી જાય. પોતે એકલી થઈ જાય છે એ મનન સમજતો હતો એટલે એને