પ્રારંભ - 19

(78)
  • 4.4k
  • 4
  • 3.1k

પ્રારંભ પ્રકરણ 19સુધામાસીને આવેલી સુગંધની વાતથી કેતન સવારથી જ વિચારમાં પડી ગયો હતો. આખા ય બંગલામાં આટલી અદભુત સુગંધ સુધામાસીને કેવી રીતે આવી ? અને એ પણ સવારે ૭:૩૦ વાગે જ જ્યારે એને તંદ્રાવસ્થામાં ટ્રેઈનમાં સુરેન્દ્રનગર સ્ટેશને સાધુ સંતોનાં દર્શન થયાં અને એને ખાલી કમંડળમાંથી ગાંઠીયા જલેબીનો પ્રસાદ કાઢીને આપ્યો ! શું આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ પરસ્પર સંબંધ હશે ?શું આ ગાયત્રી મંત્રનો પ્રભાવ હશે કે પછી ચેતન સ્વામી કે પરમ ગુરુ સ્વામી અભેદાનંદજીએ આજે સવારે મારા આ બંગલામાં હાજરી આપી હશે ? આટલી બધી દિવ્ય સુગંધ એમના સિવાય કોઈની ના હોઈ શકે !!જામનગર આવ્યા પછી કેતનના જીવનમાં આ