સ્ત્રી હદય - 13. રાજનૈતિક હલચલ

(12)
  • 1.9k
  • 1
  • 950

પોતાના સૈનિકો ની મોત ને કારણે દેશ માં અને રાજનૈતિક દળો માં ઘણી હલ ચલ થઈ ગઈ હતી. " દેશના નેતા શું પોતાના જ સૈનિકો ને મારી રહ્યા છે "તેવા સવાલો અને આરોપો લોકો દ્વારા થોપવામાં આવી રહ્યા હતા. મુખ્ય પ્રધાન ના ઘરની બહાર નારા લગાવતા લોકો ના ટોળા હતા. વળી પાકિસ્તાન માં ચૂંટણી ઘણી નજીક હતી અને તે સમયે આ રીત નો માહોલ સત્તા પક્ષ માટે ઘણો જોખમી જણાતો હતો મુખ્ય પ્રધાન એહમદ સાહેબ ઘણી મૂંઝવણ માં હતા. ચારે તરફ ન્યુઝ અને છાપાઓ માં મુખ્ય આ જ સમાચાર હતા. લોકો ના તેમના ઉપર આરોપો તેમની મુશ્કેલી વધારી રહ્યા હતા.