વિશ્વાસ

  • 1.7k
  • 676

વિશ્વાસ ........ ભાવના આજે સવારથી જ બેચેન છે.એની બહેનપણીઓએ ભાવનાના ઘરવાળા પ્રતાપને મેળે આવવાના સમાચાર મોકલી દીધા છે અને સામેથી જવાબ પણ મળ્યો છે કે,એ જરુર આવશે. પ્રતાપે બપોરના બે વાગ્યાનો સમય પણ આપ્યો છે ને જગ્યા જ્યાં મેળો ભરાય છે એ ભોળાનાથ મંદિરનો દરવાજો નક્કી થઈ છે. ભાવનાની બહેનપણી એવી રંજનનું સાસરુ પ્રતાપના ગામમાં છે. રંજનને સંબંધે કુટુંબમાં દિયર થાય છે પ્રતાપ એટલે એ એને સારી રીતે ઓળખે છે એટલે રંજને જ ભાવના અને પ્રતાપની મુલાકાતની ગોઠવણ કરી આપેલ છે. ભાવના અને પ્રતાપનું સગપણ બાળપણમાં જ થઈ ગયેલ છે.હાલ ભાવનાની ઉંમર સોળ વર્ષની છે ને એ માત્ર ચાર ધોરણ