અનાયાસે

  • 1.5k
  • 1
  • 534

ઘણી વખત આપણે જે છોડીને ભૂતકાળને આગળ વધવા કોશિશ કરીએ છીએ એ જ અનાયાસે વર્તમાનમાં પાછું આવે છે એવા સમયે આપણે દ્વિધા માં પળી જઈએ છીએ કે જેના માટે થઈ કેટલો મનમાં સંઘર્ષ થયો આજે તે જ પાછું જીવનમાં જો વણાશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે ... અનાયાસે... મુદ્રિકા અને તન્મય બાળપણથી જ ખૂબ ગાઢ આત્મીય સંબંધ થી જોડાયેલા, બાળપણથી યુવાનવસ્થા સુધી તેઓ સાથે જ રહ્યા પાડોશી હોવાની સાથે સાથે તેઓ એક જ જ્ઞાતિના પણ હોવાથી બંનેના ઘર વચ્ચે ઘણો ઘનિષ્ઠ સંબંધ સ્થપાયેલો વળી બંને હમ ઉમ્ર તો બાળપણથી લઈને યોવન અવસ્થામાં સાથે જ એક ઘણી બધી યાદગાર ક્ષણો તેઓએ વિતાવેલી