અફઘાની વિરૂદ્ધ શીખો ની સંઘર્ષ કથા - 2

  • 1.3k
  • 566

(2) મુગલાની બેગમ અને અહમદશાહ અબ્દાલીનું ચોથું આક્રમણ મુઈઅન ઉલ્મુક અથવા મીર મન્નુ 2 નવેમ્બર, 1753 ના રોજ મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુથી પંજાબમાં ભારે અરાજકતા સર્જાઈ હતી. પંજાબમાં આગામી પાંચ વર્ષ સુધી કોઈ મજબૂત રાજ્યની સ્થાપના થઈ શકી નહી, તેથી તે સમયગાળો બળવો અને આંતરિક યુદ્ધોનો સમયગાળો માનવામાં આવે છે. જ્યારે દિલ્હીના બાદશાહે મીર મન્નુના મૃત્યુના સમાચાર સાંભળ્યા તેથી તેણે પોતાના પુત્ર મહમૂદને પંજાબના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા અને મીર મન્નુના પુત્ર મુહમ્મદ અમીને તેના સહાયક તરીકે નિયુક્ત કર્યા. બાળકોની મેનેજમેન્ટની આ રમત થોડા દિવસો જ ચાલી હતી કારણ કે હવે પંજાબનો અસલી માસ્ટર અહેમદ શાહ અબ્દાલી હતો, દિલ્હીનો શાહશાહ