કૃષ્ણ મારી નજરે

  • 1.6k
  • 620

રાધે કૃષ્ણ કૃષ્ણ એ પ્રેમ નું સ્વરૂપ છે કૃષ્ણ ની ભક્તિ કરનાર સંસાર સાગર તરી જાય છે સ્વર્ગ અને નર્ક ના ફેરા માં થી તે આઝાદ થઈ જાય છે. કૃષ્ણ જેને અપનાવે છે તેને અલૌકિક દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે કૃષ્ણની સમીપ રહેનાર ધન્ય બની જાય છે તે સુખ ના મહેલો માં રાચે છે. રાધા કૃષ્ણ નો અમર ની ગાથા સદીઓ થી સાંભળી એ છીએ. પવિત્ર અને અલૌકિક પ્રેમ યુગો સુધી તેની મહત્તા રહેશે. રાધા અને કૃષ્ણ નું મિલન આત્મીયતા નું હતું. એકબીજા ની જોડે ન રહેવા છતાં પણ તેઓનું નામ સાથે લેવાતું આયુ છે અને યુગો સુધી લેવાતું રહેશે.