રાજર્ષિ કુમારપાલ - 15

  • 864
  • 526

૧૫ દધિસ્થળીમાં જાણીતો રસ્તો છોડી દીધો, એટલે ઉદયન, આમ્રભટ્ટ અને ત્રિલોચન ત્રણે દેથળીના કિલ્લા પાસે તો કોઈની પણ જાણ વિના આવી પહોંચ્યા, પણ મુશ્કેલી હવે જ હતી. કોણકોણ આંહીં છે એ વાત હજી અંધારામાં હતી. કોઈ એમને જાણી ન જાય એવી બધી તૈયારી એમણે રાખી હતી અને ત્રણે જણા રાયકા બની ગયા હતા. કોઈ આવનાર સામંતોની પોતે સાંઢણી હાંકી આવ્યા હશે એમ ધારીને બહુ પૃચ્છા ન થાય એ એમનો હેતુ હતો. દ્વારપાલ દરવાજો બંધ કરે ને કિલ્લા ઉપરથી ચઢવું પડે તે પહેલાં અંધારાનો લાભ લઈને ત્રણે દેથળીમાં પ્રવેશી ગયા.  ત્રિભુવનપાલનો દરબાર ઉદયનને શોધવો પડે તેમ ન હતો. આંહીં તો એનાં