છપ્પર પગી - 49

(12)
  • 1.4k
  • 848

છપ્પરપગી ( ૪૯ ) ——————-સ્વામીજીએ કહ્યુ, ‘બિલકુલ પાસ થઈ ગઈ..!’અન્ય જે કોઈ હતા તેમને આ પરીક્ષા વાળી વાત ન સમજાઈ એટલે તરત અભિષેકભાઈએ પુછ્યુ, ‘પરીક્ષા..! કઈ પરીક્ષા ? સ્વામીજીએ કહ્યુ, ‘અભિષેકભાઈ આ લક્ષ્મી અને પ્રવિણ સામાન્ય માતા પિતા નથી.. એ બન્ને ખૂબ પરિપક્વ, સમજુ અને ભવિષ્યનો ખૂબ ઉંડાણપૂર્વકનો વિચાર કરી વર્તમાનમાં નિર્ણય લેવાનું યોગ્ય પગલું ભરે તેવા છે. એમને પલ સાથે જે પણ કંઈ વાતચીત થતી હોય તે મારી સાથે પણ ચર્ચા કરતા રહેતા હોય છે, એટલે પલે જ્યારે આવી વાત કરી ત્યારે લક્ષ્મીની ઈચ્છા હતી કે કોઈપણ નિષ્કર્ષ પર આવીએ એ પહેલાં પલના દ્રઢ મનોબળ, નિર્ણય અને ભાવિ આયોજનો