અગ્નિસંસ્કાર - 48

  • 1.2k
  • 3
  • 666

જ્યારે આરોહી બલરાજ વિશે માહિતી એકઠી કરી રહી હતી ત્યાં આ તરફ વિજય અને સંજીવ લીલાને મળવા લોકઅપમાં ઘૂસ્યા હતા. " તારી અંશ સાથે પહેલી મુલાકાત ક્યારે થઈ?" વિજયે પૂછ્યું." અંશને મળવું એ તો મારા નસીબની વાત હતી..એના થકી તો મને ન્યાય મળ્યો છે નહિતર આજ પણ બલરાજ મારું શોષણ કરતો રહેતો હોત.." લીલા બેઘડક બોલી." બલરાજે જે કર્યું એનું ફળ તો એને મળી ગયું છે હવે અંશના કર્મોનો હિસાબ થશે બોલ તું અંશ સાથે ક્યાં અને કઈ રીતે મળી?" " હું જ્યારે મારા પતિનું અગ્નિસંસ્કાર કરીને ઘરે આવી ત્યારે મારી પાછળ હરપ્રીત આવ્યો..પોતાની હવસની ભૂખ પૂરી કરવા માટે...પરંતુ એ