૧. શિલ્પકલાનો અજોડ નમૂનો :- રાણકી વાવગુજરાત એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ ભૂમિ છે. આ વાવ આપણા ગુજરાતના પાટણ શહેરમાં આવેલી છે. રાણકી વાવ એક અનમોલ રત્ન છે. આ વાવ માત્ર પાણીના સંગ્રહ માટેની નથી, પરંતુ સોલંકી વંશના સુવર્ણકાળની ભવ્ય શિલ્પકલાનું જીવતું પ્રતીક છે.રાણકી વાવનું નિર્માણ ૧૧મી સદીમાં થયું હતું. આ રાણકી વાવ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના પત્ની રાણી ઉદયમતીએ તેમના પતિની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વાવ પ્રજાના હિત માટે અને એક ભવ્ય સ્મારક તરીકે બંધાઈ હતી. આ વાવની પાછ