Anyamanaskta - 16

(60)
  • 3.8k
  • 8
  • 1.4k

અંત તરફ પ્રયાણ કરતી અન્યમનસ્કતા નવલકથા શું છે - ગુજરેલા સમયના ગર્ભમાં નિષ્પાપ ઘટી ચૂકેલી ઘટનાઓના અવસાદભર્યા રહસ્યોની કહાની... - શરીર અને મન બેફામ બની દિમાગ સાથ ટકરાઇ સિધ્ધાંત, આદર્શ અનેસ્વાર્થની લડાઇ લડે છે ત્યારે કોને, કેમ, કેટલું અને શા માટે ઇમાનદાર, સમજદાર અને જવાબદાર રહી સંધર્ષમય જીવતા મારા-તમારાજેવા પાત્રોની વાર્તા... - દગાબાજી અને બેવફાઇ જ્યારે ચુંબકના અસમાન ધ્રુવો પર બાજીને સંબંધોને ખતમ કરતાં પહેલાં ક્યા પ્રકારે જૂઠ અને ફરેબભર્યું અનહદ સુખ આપે છે તેવા કેટલાક અનુભવોની દાસ્તાન... ઉપરાંત... સમયની જીવલેણ પકડમાં બદલાઇને મુર્ઝાઇ જતા સંબંધમાં ફસાયેલી વિરલ સ્ત્રી સોનાલી, નવા શ્વાસની જેમ નિત્ય પેદા થતી રહેતી અઢળક ઇચ્છાઓ અને આકાંક્ષાભર્યા સપનાં સેવતો માયાળુ વિવેક, સા,રે,ગ,મ,પની લયમાં, આરોહ-અવરોહના અનુક્રમમાં જ્યારે પ્રાસબધ્ધ વહેતી જિંદગીમાં સૂરમય ઉતાર-ચડાવ આવે છે ત્યારે તેના કારણોનો લેખાંજોખાં પ્રસ્તુત કરતાં ખંજન અને આલોક. પરણિત યુવાદિલોની કશ્મકશ, વાયદાઓનાં આટાપાટા, મનનો એકએક ખૂણો ખૂંદી નાંખે તેવા સંવાદ અને ઘટનાઓનો અંત નથી તેવી યાદોનો પટારો ખોલીને તમારા અને તમારી આસપાસના પરિચિતોનો આયનો દર્શાવી પોતીકું પ્રતિબિંબ રચી દેતી કથાવિશ્વની સફર એટલે અન્યમનસ્કતા નવલકથા...