શાયર - પ્રકરણ ૧૪.

(2.4k)
  • 3.5k
  • 1.2k

એ ગમગીન અને જીર્ણ મકાનની અંદર વિષાદ અને ગ્લાનિની પ્રતિકૄતિ સમા આશા અને ગૌતમ એકલાં જ રહ્યાં . કોઈએ શબ્દ કહ્યો ન હતો. છતાં છાપખાનાવાળાઓને એક વાત સ્પષ્ટ સમજાઈ ગઈ હતી કે મયારામના આપઘાતની સાથે કવિની કવિતાઓ પણ રામશરણ થઈ ચૂકી હતી.