લેખકે લેખન કરવાની સાથે સાથે સંસારની ફરજો પણ નિભાવવાની હોય છે. આથી એણે કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે સમતુલા જાળવવાની અઘરી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. ગમતું કામ પડતું મૂકીને ન ગમતું કામ પણ એણે હાથ પર લેવું પડે છે. આવા સમયે પણ એના મનમાં સર્જનને લગતી મથામણ ચાલ્યા જ કરતી હોય છે. વળી, વાસ્તવિક દુનિયા એને પીડા પણ આપતી હોય છે. આ વાર્તાનો નાયક કેશવ ભટ્ટ એક વખત આવી જ કશી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. અંતે શું થાય છે એ જાણવા માટે આ નવલિકા વાંચવા આગ્રહ છે. વાચકોને એક લેખકની મનોદશાનો પરિચય કરાવવાનો આ પ્રયાસ છે. ઘણા વાચકોએ નોંધ લીધી છે કે, મારી દરેક નવલિકા નવા નવા વિષય અને રજૂઆત પર આધારિત હોય છે. મારા માટે આ આનંદની વાત છે. -યશવંત ઠક્કર