શિવતત્વ - પ્રકરણ-3

(32)
  • 5.1k
  • 1
  • 2k

શિવતત્વ - પ્રકરણ-3 (શિવનું ત્રીજું નેત્ર) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર ભારતનાં મુખ્ય અગિયાર ઉપનિષદો પૈકીનું એક એવા મુંડકોપનિષદનો પ્રસિદ્ધ શ્લોક છે. જેમાં શિવ અને જીવ બંનેને એક જ વૃક્ષ પર રહેનારાં પંખી દર્શાવાયાં છે. ભેદ એટલો છે કે એક પક્ષી વૃક્ષનાં ફળોને ભોગવી લેવા માગે છે. જેથી તે ફળોના સ્વાદમાં રત થાય છે. જ્યારે બીજું પક્ષી ફળનો ઉપભોગ કર્યા વગર માત્ર તેને જુએ છે અને ફળનું સાક્ષી રહે છે.