ઘરના ભાગલા

(106)
  • 3.9k
  • 4
  • 895

આ બંગલામાં રહેવાનું સદભાગ્ય તેમના પત્ની રસીલાબેન પામી શક્યા ન હતા. એક નાની બીમારીમાં તે શંકરલાલનો સાથે છોડી ગયા હતા. દીકરાઓ મોટા થઇ ગયા હતા અને પોતાની સાથે જ ધંધે લાગી ગયા હોવાથી તેમના લગ્ન કરાવીને ઠેકાણે પાડવામાં સમય લાગ્યો ન હતો. પરંતુ એમના લગ્ન પછી જ બધી સમસ્યાઓ શરૂ થઇ હતી. સ્ત્રીસહજ ઇર્ષા અને મોટા ઘરની દીકરી હોવાથી નરેશની પત્ની નુપુર વ્હેંત ઊંચી ચાલતી હતી. છતાં બંગલાના બે માળમાં બંનેનો સમાવેશ કરવામાં તે સફળ થયા હતા. થોડા દિવસો પછી ધંધામાં સમસ્યા ઊભી થઇ.