રહસ્યમય મૂર્તિ

(149)
  • 6.3k
  • 11
  • 1.6k

એવું કહેવાય છે કે આફ્રિકાના રાજાને અપમાનીત કરવા માટે ઈજીપ્તની સામ્રાજ્ઞી ક્લિઓપેટ્રાએ એ મૂર્તિની ચોરી એક બદનામ જાદુગર પાસે કરાવી હતી. મૂર્તિની ચોરી કર્યા બાદ જાદુગરની નિયત બગડતા તેણે મૂર્તિને ઈજીપ્ત લઇ જવાને બદલે તેને જંગલમાં છુપાવી દીધી. રાણી ક્લિઓપેટ્રાને આ વાતની જાણ થતા જ તેણે મોકા નો ફાયદો ઉઠાવ્યો અને આફ્રિકાને આ વાતની જાણ કરી દીધી. આફ્રિકા અને ઈજીપ્તની સૈન્ય શક્તિ સામે જાદુગર વામણો સાબિત થયો. તેણે પોતાનો જીવ બચાવવા માટે ખતરનાક કાળી જાદુઈ શક્તિનો પ્રયોગ કર્યો. જાદુગરની એ કાળી શક્તિના પ્રભાવથી બંને દેશના સૈનિકો ત્યાંજ મૃત્યુ પામ્યા અને જંગલ સ્મશાન બની ગયું. એ કાળી શક્તિના પ્રકોપથી બચવા માટે જાદુગર સોનાની મૂર્તિમાં સમાય ગયો. આ પછી એ જંગલમાં કોઈ ગયું નથી. ત્યાં જીવસૃષ્ટિ સદંતર નાશ પામી છે. કેટલાક લોકોનું માનવું છે કે એ જાદુગર વર્ષો પછી આજે પણ એ મૂર્તિમાં જીવંત બેઠો છે. મૂર્તિની લાલચમાં એ જંગલમાં જવાની હિંમત કરનાર દરેકને એ જાદુગર મૂર્તિના બદલે મૃત્યુ આપે છે.