સત્ય અસત્ય - પ્રકરણ - 12

(1.1k)
  • 62.6k
  • 51
  • 42k

સોનાલીબહેન ક્યારના ચૂપચાપ ઘરે બેઠા હતાં. એમના ચહેરા પર ઘેરી વેદનાની છાયા હતી. બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું કે એમને જે કંઈ બન્યું એનું ઊંડું દુઃખ હતું. એ પ્રિયંકાના નિર્ણય વિશે વાત કરવા સિદ્ધાર્થભાઈના ઘરે આવ્યા હતા. ખાસ્સી વારથી એક અજબ પ્રકારની ચૂપકિદી ડ્રોઇંગરૂમમાં ઘુમરાયા કરતી હતી. કોઈ કશું બોલે એવી આશા સાથે સૌ એકબીજા સામે જોતા હતા, પરંતુ શીલાબહેન, સિદ્ધાર્થભાઈ, મહાદેવભાઈ અને સોનાલીબહેન સહિત કોઈનેય સૂઝતું નહોતું કે શું બોલવું... વાંચો, આગળ કાજલ ઓઝા વૈદ્યની કલમે સત્ય-અસત્ય.