ગવળી શેઠ અપરાધભાવ અનુભવતા ભીની પાંપણે એટલું જ બોલી શક્યા, ‘જો બેટા, હું બહાર હતો તો તને અંદર થતો અટકાવી શક્યો. જો હું જ અંદર થઈ જાઉં, તો તમે લોકો મને છોડાવી શકો ખરા! સરકારી તંત્રવાળાઓને સાચાઓ સાથે પણ પોતાની કામગીરી દેખાડવા અને પક્ષપાતના આક્ષેપોથી બચવા આવા ખેલ પાડવા પડતા હોય છે. બેટા, તું નવોનવો છે એટલે આ બધું તને ધીમેધીમે સમજાશે.’