સંભવામિ યુગે યુગે ભાગ ૬

(112)
  • 4.6k
  • 6
  • 2.1k

સંગીતસોમનો પાળિયામાં આવ્યા પછી સુંદરદાસજી બાપુ ને મળવા ગયો . તેની પ્રગતિ ના સમાચાર અનિકેત દ્વારા બાપુ ને મળી ચુક્યા હતા . તેઓ તેના પર ખુબ ખુશ હતા.સવારે ઉઠવું, નિત્યક્રમ પતાવીને સાથે લાવેલા પુસ્તકો વાંચવા , બપોરે જમ્યા પછી આરામ અને સાંજે દોસ્તો ને મળવું અને તેમની સાથે ભજનકીર્તન ના કાર્યક્રમ માં જવું અને રાત્રે આવીને પોતાના કાચા મકાન ની સામે ખાટલો ઢાળીને સુઈ જવું એજ તેનો નિત્યક્રમ હતો . એક અમાસ ની રાત્રે તેને આંખ ખોલી અને કોઈ જાગી તો નથી રહ્યું ને તે ખાતરી કરીને એક દિશામાં જંગલ ની તરફ ચાલવા લાગ્યો . ખુબ ઊંડે સુધી