સંભવામિ યુગે યુગે ભાગ ૭

(100)
  • 4k
  • 3
  • 2k

સોમ ના ગયા પછી તે આંખ બંદ થઇ અને આશ્રમ માં બેસેલા જટાશંકરે આંખો ખોલી અને તે ચિંતિત બન્યા , તેમના મગજમાં વિચારોનું વંટોળ ઉઠ્યું . ખુબ પ્રયત્નો પછી તેમને પ્રથમ વાર પુરાવો મળ્યો હતો કે સંગીતસોમ મેલીવિદ્યામાં રસ લઇ રહ્યો છે અને મહાગુરૂના પદ સુધી પહોંચી ગયો છે . આને રોકવો મુશ્કેલ થઇ જશે . અનંતક ની વિધિ નું પુસ્તક તો તેની પહોંચ ની બહાર છે પણ ક્યાં સુધી? પાછળ ૫૦૦ વર્ષ માં પોતાના પછી પહેલો સાધક છે જેને આટલી નાની ઉંમરમાં મહાગુરુ ની પદવી મેળવી છે અને જો તે અનંતક ના પદ સુધી પાંચોચિ ગયો તો તે મારા