પ્રેમ ની પરિભાષા - ૮. ડી ની ઘેલછા

(24)
  • 2.3k
  • 3
  • 956

    કાવ્યા જોઈ રહી હતી કે સૌમ્ય રુદ્ર થી દુર થઈ રહ્યો હતો , અને તેનુ કારણ પુજા હતી . તે સ્પષ્ટ પણે જોઈ શકી કે પુજા પ્રત્યે ની લાગણી તેને મીત્રો થી દુર કરી રહી હતી . પણ અહીયા યક્ષપ્રશ્ન એ હતો કે જે મતભેદ સૌમ્ય અને રુદ્ર વચ્ચે હતો એ જ મતભેદ તેની અને સૌમ્ય વચ્ચે આવવાની શક્યતા હતી કારણ કે તેની પોતાની માનસીક્તા રુદ્ર સમાન હતી અને તે રુદ્ર ની કહેલી બધી જ વાતો સાથે સહમત હતી . અને બીજી તરફ સૌમ્ય રુદ્ર સાથે મતભેદ ધરાવતો હતો . કાવ્યા અને સૌમ્ય વચ્ચે મતભેદ થવા ની તૈયારી જ