બદલાવ-8 ( સાહેબ, તમને કંઇ સમજાયું?""આમાં સમજવાનું શું છે?""આ અલગારીનાથની જે શકિતઓ છે તે એક લય...એક તાલમાં કામ કરે છે." સોમુ કંઇક કોયડો ઉકેલ્યોં હોય એમ ખુશ થતા બોલ્યોં....) અજયને તો આ બંધનમાંથી છુટવાનો એક જ રસ્તો સ્વીકાર્ય હતો.એ રસ્તો એટલે ખુદ અલગારીનાથ પોતે.પણ એમનું વર્તન અને એમના ઇરાદાઓ ન સમજાય એવા હતા.તો પણ ચારે બાજુથી ઘેરાયેલા અજયે સોમુને કંટાળા ભર્યાં સ્વરે પુછયું “શું લય છે? આ અલગારીનાથની શકિતઓની પેટર્ન શું છે?”“જુઓ સાહેબ.દર વખતે અલગ અલગ પગ દુખે છે.એકવાર ડાબો....એકવાર જમણો...યાદ કરો એમણે કહ્યું હતુ કે એક સુર પછી બીજો સુર અને એ