પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 1

(116)
  • 9.2k
  • 4
  • 5.4k

આયખાનો મોટો ભાગ આ ઘરમાં જ વીતાવ્યો હોવા છતાં સુખ તો ક્યારેય જોયું નથી. દુનિયાની નજરે મારા પતિ શિષ્ટ, ઉદાર, સૌમ્ય અને સજ્જન જણાતા હતા. પણ એ તો જેને વીત્યું હોય એને જ ખબર પડે ને! પોતાના ઘરના ભોગે પારકાનું ભલું કરનારનો તો દુનિયા પ્રસંશા કરે જ ને? ઘરના માણસો માટે પ્રાણ પાથરનારની પ્રસંશા કરી છે આ દુનિયાએ ક્યારેય? એવા લોકો તો દુનિયાની દ્રષ્ટિએ સ્વાર્થી, કંજૂસ અને આચારભ્રષ્ટ ગણાય છે. એ જ રીતે બહારના લોકો માટે જીવનભર ઝઝૂમનારની પ્રસંશા ઘરવાળાં શી રીતે કરે!