Premchandjini Shreshth Vartao book and story is written by Munshi Premchand in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premchandjini Shreshth Vartao is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - Novels
by Munshi Premchand
in
Gujarati Short Stories
આયખાનો મોટો ભાગ આ ઘરમાં જ વીતાવ્યો હોવા છતાં
સુખ તો ક્યારેય જોયું નથી. દુનિયાની નજરે મારા પતિ શિષ્ટ,
ઉદાર, સૌમ્ય અને સજ્જન જણાતા હતા. પણ એ તો જેને વીત્યું
હોય એને જ ખબર પડે ને! પોતાના ઘરના ભોગે પારકાનું ભલું
કરનારનો તો દુનિયા પ્રસંશા કરે જ ને? ઘરના માણસો માટે પ્રાણ
પાથરનારની પ્રસંશા કરી છે આ દુનિયાએ ક્યારેય? એવા લોકો તો
દુનિયાની દ્રષ્ટિએ સ્વાર્થી, કંજૂસ અને આચારભ્રષ્ટ ગણાય છે. એ જ
રીતે બહારના લોકો માટે જીવનભર ઝઝૂમનારની પ્રસંશા ઘરવાળાં
શી રીતે કરે!
આયખાનો મોટો ભાગ આ ઘરમાં જ વીતાવ્યો હોવા છતાં
સુખ તો ક્યારેય જોયું નથી. દુનિયાની નજરે મારા પતિ શિષ્ટ,
ઉદાર, સૌમ્ય અને સજ્જન જણાતા હતા. પણ એ તો જેને વીત્યું
હોય એને જ ખબર પડે ને! પોતાના ઘરના ભોગે પારકાનું ભલું
કરનારનો તો ...Read Moreપ્રસંશા કરે જ ને? ઘરના માણસો માટે પ્રાણ
પાથરનારની પ્રસંશા કરી છે આ દુનિયાએ ક્યારેય? એવા લોકો તો
દુનિયાની દ્રષ્ટિએ સ્વાર્થી, કંજૂસ અને આચારભ્રષ્ટ ગણાય છે. એ જ
રીતે બહારના લોકો માટે જીવનભર ઝઝૂમનારની પ્રસંશા ઘરવાળાં
શી રીતે કરે!
‘નવરસ’ ના સંપાદક પં. ચોખેલાલનાં ધર્મ પત્નીના અવસાન
બાદ એમને સ્ત્રીઓ પ્રત્યે સવિશેષ લાગણી થવા માંડી છે. એમનામાં
રસિકતાની માત્રા પણ વધી ગઇ છે. પુરુષ લેખકોના સારા લેખો પસ્તીમાં
જતા પણ સ્ત્રી લેખિકાઓના ગમે તેવા લેખ એ તરત જ સ્વીકારી લેતા. એટલું
જ ...Read Moreલેખના સ્વીકૃતિપત્ર સાથે એ પ્રસંશાનાં થોડાં વાક્યોય લખી નાખતા
કે - ‘‘આપનો લેખ વાંચીને હૈયું ગદ્ગદિત થઇ જાય છે. ભૂતકાળ આંખો
સમક્ષ સજીવ બને છે. આપની લાગણીઓ તો સાહિત્યસાગરનાં અણમોલ
રત્નો છે.
રાત્રે ‘‘ભક્તમાળા’’ વાંચતાં વાંચતાં કોણ જાણે ક્યારેય ઊંઘ આવી
ગઇ. કેવા કેવા મહાત્મા હાતા એ! એમને માટે ભગવત પ્રેમ સર્વસ્વ હતો.
આવી ભક્તિ તો ભારે તપ કરવાથી જ પ્રાપ્ત થાય. શું હું એવું તપ કરી ના
શકું? અને આ જીવનમાં હવે એવું ...Read Moreસુખ બચ્યું છે? મને હવે ઘરેણાં પ્રત્યે
વિરક્તિ જાગી છે. ધનદોલતનું નામ સાંભળતાં જ મારે શરીરે બળતરા થાય
છે. સુશીલાએ હજુ તો કાલે જ કેટલા ઉલ્લાસથી મને શણગારી હતી, મારા
ચોટલે ફૂલ ગૂંથતાં કેટલી હરખાતી હતી એ? મેં ઘણીય ના પાડી પણ એ તો
માની જ નહીં. આખરે મને બીક હતી એમ જ થયું.
વિપિનબાબુ સ્ત્રીને સંસારનું સૌથી સુંદર સર્જન માનતા હતા. એ
કવિ હતા. એમની કવિતાનો મુખ્ય વિષય હતો સ્ત્રી અને સ્ત્રીનું સૌંદર્ય, સ્ત્રીને
એ માધુર્ય સૌંદર્ય અને યૌવનની જીવતી જાગતી પ્રતિમા માનતા. સ્ત્રી શબ્દ
સાંભળતાં જ એમની હૃદયવીણા પુલકિત થઇ ઊઠતી. એમનું મન મલ્હાર
આલાપવા ...Read Moreજતું. પાકી સમજણ આવી ત્યારથી તેમણે કામિનીની
કલ્પના કરવાની શરૂઆત કરી દીધી હતી. એવી કામિની કે જે એમના
હૃદયની રાણી બનશે, એનામાં ઉષાની પ્રફલ્લતા હશે.
હિન્દુ સમાજની લગ્નપ્રથા એટલી હદે દૂષિત અને ચિંતાજનક બની ગઇ છે કે એને શી રીતે સુધારવી એ જ સમજાતું નથી.સાત સાત પુત્રોના જન્મ પછી અવતરનારી દિકરીને હર્ષથી વધાવે એવાં માતા પિતા કોઇક વિરલ જ હશે! કન્યાના જન્મથી જ એના ...Read Moreચિંતા માબાપને સતાવવા લાગી છે. એટલે જ દિકરીના અવસાનનું દુઃખ કદાચ માતાપિતાને નહીં થતું હોય! દહેજપ્રથાનો વધતો જતો ઊંચો આંકડો જ આ સ્થિતિ માટે જવાબદાર છે. લગ્નના ખર્ચા એટલા બધા વધી ગયા છે કે શિક્ષિત સમાડ દિવસે દિવસે નિરધન થતો જાય છે. એનું પરિણામ શું આવશે એ તો ભગવાન જાણે!