અંતરની અભિવ્યક્તિ ભાગ ૫

  • 3.5k
  • 2
  • 1.3k

       આ ભાગમાં કેટલીક સામાજિક વિષયો પર લખાયેલી મારી રચનાઓ ને આવરી લેવામાં આવી છે.આપણી આસપાસ ઘટાતી ઘટનાઓથી ઘણી વખત કેેટલાક પ્રશ્નો ઉદભવે છે એના વિશે કેટલીક કવિતાઓ રજૂ કરું છું.પ્રહાર( સમાજમાં પ્રચલિત દુરાચાર પર પ્રહાર )હાથમાં કલમ અને પુસ્તક ને બદલે કામકાજનો  સોંપે ભાર....એ છે એના બાળપણ પર પ્રહાર...!મનગમતા વિષય ભણાવવા ને બદલેએ જ જૂની ઘરેડમાં એનો વિસ્તાર..એ છે એના વ્યક્તિત્વ પર પ્રહાર.. ..!જીવનસાથીની પસંદગી પ્રેમ ને બદલેન્યાત જાતના ધોરણે અંગીકાર...એ  છે એના જીવન પર પ્રહાર .....!કૂખેથી જન્મ આપવાને બદલેદિકરી ને કરે કૂખમાં જ ખુવાર..એ છે એના પ્રાણ પર પ્રહાર.....!મુક્ત હવામાં ફરવાને બદલે યુવાન દિકરી ને  પાબંદી અપાર...એ છે