બુધવારની બપોરે - 15

(24)
  • 2.9k
  • 5
  • 969

કબુતર શાંતિનું દૂત કહેવાતું હશે, પણ એ તો જેના માથે ચરક્યું હોય એને પૂછી જુઓ કે, દૂતો આવા હોય? હિંદુઓ અભિષેક સંસ્કૃતિમાં ચોક્કસ શ્રધ્ધા રાખે છે, પણ આવા અભિષેકોમાં નહિ. એ સાલું કુદરતી રીઍક્શન છે કે, માથે ચરકે કે તરત જ આપણે હાથ મૂકીને ચચળી જોઇએ એટલે આજુબાજુ ય ધોળું ધબ્બ થઇ જાય. માથું તો સમજ્યા કે, પાણી નાંખીને ધોઇ પણ નાંખીએ, પણ નવાનક્કોર શર્ટ ઉપર ચરક્યું હોય તો એ વખતે લૂછાય-ઘસાય પણ નહિ અને એવું લઇને આગળ પણ વધાય નહિ! આપણો કાંઇ વાંક ન હોવા છતાં ઘેર જઇએ ત્યારે બા ય ખીજાય! ‘આટલો ઢાંઢો થિયો.....હરખા કપડાં હાચવતાં ય નથ્થી આવડતું?’