વીર વત્સલા - 19

(57)
  • 4.4k
  • 11
  • 1.6k

શાહુકારની પુત્રવધુને સલામત ભાગી જવા દીધી એ પછી વીરસિંહને અનુભવ થયો કે વેર વાળ્યા પછી જેટલો ધરવ થાય છે એના કરતા વધુ સંતોષ વેર વાળવાની તક આવે અને તમે એ જતી કરો ત્યારે થાય છે. શાહુકારના દીકરાને ક્ષમા કરી શકે એટલું ઠંડુ લોહી એનું નહોતું પણ કોઈની નિર્દોષ પત્ની પર અત્યાચાર ગુજારી વેર વાળે એવી તામસિક વૃત્તિ પણ એનામાં નહોતી. આવેશ પર સમજદારીને સરસાઈ અપાવે એવું ચિત્ત પોતાને આપનાર કુદરતનો એણે આભાર માન્યો. એ જરા સ્વસ્થ થયો. લાગણીના ઝંઝાવાતમાં ડોલી રહેલું મન હવે ઘડીક બધી બાજુથી વિચારી શકે એટલું શાંત થયું.