અજવાળાંનો ઓટોગ્રાફ - 20

(19)
  • 2.1k
  • 1
  • 862

એક સમય હતો જ્યારે ઘરમાં એ.સી નહોતું. અને તેમ છતાં ત્યારે પણ ઉનાળો આવતો. સંજોગો અને પરીસ્થિતિ પ્રમાણે દરેક ઘર ઉનાળાની સાથે સમાધાન કરી જ લેતું હોય છે. રેગ્યુલેટર ફેરવીને પંખાની સ્પીડ પાંચ ઉપર કરતા. ભીની કરેલી ચાદર ઓઢીને પંખાની નીચે સૂઈ જતા, જેથી પંખાનો પવન આપણા સૂધી પહોંચતા પહોંચતા થોડો ઠંડો થઈ જાય. ફળિયામાં પાણી છાંટતા, બારીઓ ખુલ્લી રાખતા અને રાતે સૂવા અગાશીમાં જતા.