વન્સ અપોન અ ટાઈમ - 26

(196)
  • 9.1k
  • 22
  • 7.9k

‘સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસની ગોળીથી કમોતે મરેલો એ યુવાન આલમઝેબ હતો, જેના કારણે દાઉદ ઈબ્રાહીમની ઊંઘ હરામ થઇ ગઈ હતી સમદ ખાન, અમીરજાદા અને આલમઝેબે શબ્બીર ઈબ્રાહીમને ખતમ કરવા જે રસ્તો અપનાવ્યો હતો એનું દાઉદે સુરતમાં પુનરાવર્તન કર્યું હતું. જો કે દાઉદે આલમઝેબનું કાસળ કાઢવા માટે બહુ તકલીફ લીધી નહોતી. અમીરજાદા અને સમદ ખાનને પતાવવા માટે દાઉદે પાણીની જેમ પૈસા વેરવા પડ્યા હતા, પણ આલમઝેબને અવ્વલ મંજિલે પહોંચાડવા માટે દાઉદે મામૂલી રકમ ખર્ચવી પડી હતી.