લકીર..... વાતાઁ.... આયુષી ને એક દીકરો હતો મનન. મા દીકરો એકલા જ રહેતા હતા. આયુષી નો વર એક વષઁ પહેલા અકસ્માત મા મૃત્યુ પામ્યો. એના વર નો ધંધો હતો એટલે બંગલો, મિલકત અને ધંધો બધુ જ આયુષી અને મનન નુ હતુ. પણ મનન હજુ ત્રણ વર્ષ નો જ હતો અને આયુષી ના અને એના વર ના બીજા કોઇ સગા વહાલા ન હતા.આયુષી અને વિશાલના લવ મેરેજ હતા.. કોલેજમાં સાથે ભણતાં પ્રેમ થઈ ગયો અને બેવ એકબીજા ની નજીક આવી ગયા... વિશાલના પપ્પા હતા એમનો ધંધો હતો જ્યારે આયુષી તો અનાથ આશ્રમમાં મોટી થયેલી એના માતા પિતા વિશે એને કંઈ ખબર ન હતી....