અર્ધ અસત્ય. - 14

(199)
  • 8.3k
  • 9
  • 5.7k

અનંતસિંહે અભયને ભારે દુવિધામાં મૂક્યો હતો. “તને ખબર છે પણ યાદ નથી.” એવું કહીને તેમણે અભયને વિચારતો કરી મૂકયો હતો કે તેણે પૃથ્વીસિંહજીની હવેલી ક્યાં જોઇ હતી? નાનપણથી મોટાં થયા ત્યાં સુધી તેણે આ પાંચ હવેલીઓ જ જોઇ હતી. એ સીવાય કોઇ છઠ્ઠી હવેલી હોઇ શકે એવો તો ખ્યાલ પણ ક્યારેય ઉદભવ્યો નહોતો. છઠ્ઠી હવેલી વાળી વાત કહીને અનંતસિંહે તેને મુંઝવી દીધો હતો. વળી એ હવેલીમાં ખુદ પૃથ્વીસિંહ રહેતા હતા એ વાત કેમે ય કરીને તેના ગળા નીચે ઉતરતી નહોતી. જો પૃથ્વીસિંહ ખરેખર કોઇ અન્ય હવેલીમાં રહેતા હોય તો આ સમયે પણ એ હવેલી જીવંત હોવી જોઇએ કારણ કે રાજ પરિવારની બાગડોર જેમના હાથમાં હતી એ સદસ્યની ધરોહરને કોઇ નોંધારી તો કેમ મૂકી શકે? અભયે પોતાનું મગજ કસ્યું છતાં તેને કંઇ જ યાદ આવતું નહોતું.